Biporjoy વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવામાં આવશે. બિપોરજોય વાવાઝોડા દરમ્યાન કેટલાક લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થળાંતર કરવામાં આવેલ લોકોને તેમની જીવન જરૂરિયાતની વસ્તું મેળવવા માટે. તેમને 5 દિવસ માટે રોકડ સહાય આપવામાં આવશે.

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં મળશે
મહેસૂલ વિભાગના આમુખ -૧ના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોનેદૈનિક રોકડ સહાય (કેશડોલ્સ)ની સહાય ચૂકવવા માટેના ધોરણો ઠરાવવામાં આવેલ છે. ત્યારબાદ આમુખ-૨ના ઠરાવથી SDRF/NDRFઅન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત લાભાર્થીને બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer)અથવા PFMS (Public Fund Management System)મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે. પરંતુ, અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર મુશ્કેલ બને. આ સંજોગોમાં કેશડોલ્સની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેનો ઉપાડ કરવો તે પણ અતિકઠીન બને. આમ, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાયભૂત થવા સહાયની રકમ રોકડમાં આપવા અંગેની બાબત વિચારણા કરવામાં આવેલ છે.
હાલમાં ચાલતી ભરતીની માહિતી જોવો
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય
વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવાની થાય છે.
જાણો કેટલી સહાય મળશે
બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ પ(પાંચ) દિવસ માટે પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.૧૦૦/-પ્રતિદિન અને બાળકદીઠ રૂ.૬૦/-પ્રતિદિનની સહાય રોકડમાં ચૂકવવા આથી ઠરાવવામાં આવે છે.