Gujarati General Knowledge – ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્નો

Gujarati General Knowledge Question Answer

કેમ છો મિત્રો, અહિયાં ઘણા બધા જનરલ નોલેજ (Gujarati General Knowledge) વિશેના પ્રશ્નો આપેલા છે. આ જનરલ નોલેજના પ્રશ્નો તમારી આવનારી તલાટી, ક્લાર્ક, બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. મિત્રો આ પ્રશ્નોમાંથી અમુક પ્રશ્ન એવા છે કે જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ જનરલ નોલેજના પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

GK In Gujarati | General Knowledge In Gujarati | General Knowledge Questions In Gujarati |જનરલ નોલેજ પ્રશ્નો| ગુજરાતી જનરલ નોલેજ

૧) ક્યા રાજયમાં “દરેક ઘર પાણી, દરેક ઘર સફાઈ અભિયાન” શરૂ કરવામાં આવેલ છે ?
– પંજાબ
૨) ક્યા રાજ્ય દ્વારા ન્યુમોનિયાને કારણે થતાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી સાંસ (SAANS – Social Awarness and Action to Neutralise Pneumonia Successfully) અભિયાન શરૂ કરવામાં આવેલ છે ?
– મધ્યપ્રદેશ
૩) કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ઓછી કિંમતવાળા સૌર પ્રકાશ ઉપકરણ “સૂર્ય જ્યોતિ” ની શરૂઆત ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
– ૨૦૧૬
૪) કેન્દ્રિય ઔષધિ સંસ્થા ક્યા આવેલી છે ?
– લખનૌ
૫) ભારતમાં ક્યા વર્ષના અધિનિયમથી ભૌગોલિક સૂચક ટેગ (Geographical Indications Tags) લાગુ કરવામાં આવેલ છે ?
– ૧૯૯૯
૬) ભારતમાં પ્લાસ્ટિક કચરા પ્રબંધન નિયમ, ૨૦૧૬ અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓની ન્યૂનતમ જાડાઈ કેટલા માઈક્રોનની રાખવામાં આવેલ છે ?
– ૫૦
૭) ભારતે સ્ટોકહોમ સંધિ ક્યા વર્ષથી લાગુ કરેલ છે ?
– ૨૦૦૬
૮) ભારતીય અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રાધૌગિકી સંસ્થાન ક્યા આવેલ છે ?
– તિરુવનંતપુરમ
૯) ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
– ૧૯૮૧
૧૦) કેન્દ્રિય ચીફ વિજિલન્સ કમિશ્નરને કોના દ્વારા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે ?
– રાષ્ટ્રપતિ
૧૧) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ ભારતમાં ક્યારથી અમલમાં બનેલ છે ?
– ૧૬-૦૧-૨૦૧૪
૧૨) સંઘ લોકસેવા આયોગના સભ્યના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે ?
– હોદ્દો સંભાળે તે તારીખથી છ વર્ષ અથવા ૬૫ વર્ષની ઉંમર ના થાય તે બે માથી જે વહેલું બને ત્યાં સુધી
૧૩) દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય બોર્ડનું કાર્ય શું છે ?
– શ્રમિક શિક્ષા અને વિકાસના હેતુ કાર્યક્રમો ચલાવવા
૧૪) બધા નાગરિકો માટે સ્વૈચ્છીક ધોરણે પેન્શન પ્રણાલી (NPS) ભારત સરકાર દ્વારા ક્યારથી લાગુ કરવામાં આવી છે ?
– ૦૧-૦૫-૨૦૦૯
૧૫) સ્ટાર્ટપ ઈન્ડિયા વેબ પોર્ટલ અને મોબાઈલ એપ ક્યા વર્ષમાં વિકસાવવામાં આવેલ અને શરૂ કરવામાં આવેલ ?
– ૨૦૧૬
૧૬) ભારતીય ડાક સેવાની સ્પીડ પોસ્ટ અંતર્ગત કેટલા કિલો સુધી વજનવાળા પત્રો અથવા પાર્સલ દેશભરમાં નિશ્ચિત સમયવિધિમાં મોકલી શકાય છે ?
– ૩૫
૧૭) “આમ આદમી વીમા યોજના” હેઠળ બે બાળકોનું કુટુંબ ધરાવતા વિમધારક સદસ્યના ધોરણ નવ થી બાર (આઈટી કોર્સ સહિત) માં અભ્યાસ કરતાં પ્રતિ બાળક/બાલિકાને વાર્ષિક કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે ?
– ૧૨૦૦
૧૮) ગ્રાહક ભાવ અનુક્રમણિકા (Consumer Price Index) –શહેરી માટે વર્તમાન આધાર વર્ષ ક્યુ છે ?
– ૨૦૧૨
૧૯) રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાની સ્થાપના ક્યા આયોગની ભલામણનો સ્વીકાર કરીને કરવામાં આવેલ હતી ?
– રંગરાજન આયોગ
૨૦) અટલ ન્યુ ઈન્ડિયા ચેલેન્જની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
– ૨૦૧૮-૧૯
૨૧) નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિયુક્તિ કોના દ્વારા થાય છે ?
– વડાપ્રધાન
૨૨) કઈ પંચવર્ષીય યોજનામાં આગામી દસ વર્ષોમાં પ્રતિવ્યક્તિ આવક બે ગણી કરવાનો અને વાર્ષિક વિકાસ દર જીડીપીના આઠ ટકા રખવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ છે ?
– દસમી
૨૩) મહી અને ઢાઢર નદી વચ્ચેનો કેટલોક પ્રદેશ નીચેના પૈકી ક્યા નામે ઓળખાય છે ?
– વાકળ
૨૪) ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮-ક ક્યો છે ?
– ચીલોડાથી ગાંધીનગર થઈને સરખેજ સુધીનો
૨૫) સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના આધારિત ઔધોગિક એકમો પૈકી ક્યા જીલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે ?
– સુરેન્દ્રનગર
૨૬) કઈ નદી ટૂંગા પર્વતમાથી નીકળે છે ?
– રૂપેણ
૨૭) કલકત્તા સ્થિત હુગ્લી નદી પરના હાવરા બ્રિજનું વર્ષ ૧૯૬૫માં નવું નામ ક્યુ રાખવામા આવ્યું હતું ?
– રવિન્દ્ર સેતુ
૨૮) ગુજરાતમાં બેન્ટોનાઈટ ખનીજ મુખ્યત્વે ક્યા જીલ્લામાં મોટા પ્રમાણમા મળી આવે છે ?
– કચ્છ અને ભાવનગર
૨૯) “ગોડ્જ ઓન કન્ટ્રી” (God’s Own Country) તરીકે ભારતનું ક્યુ રાજ્ય જાણીતું છે ?
– કેરળ
૩૦) મ્યાનમારની સાથે ભારતના કેટલા રાજ્યો સરહદ ધરાવે છે ?
– ચાર
૩૧) ૧૯૫૬માં રચાયેલ “મૈસૂર” નું નામ બદલીને “કર્ણાટક” ક્યા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
– ૧૯૭૩
૩૨) ગુજરાત પછી જેનો દરિયાકિનારો લાંબો છે તે રાજ્ય નું નામ જણાવો.
– આંધ્રપ્રદેશ
૩૩) ભારતમાં આરબોનું પ્રથમ આક્રમણ ક્યા થયું હતું ?
– મુંબઈ-થાણે ઉપર
૩૪) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઈ.સ. ૧૮૮૫-૧૯૪૭ દરમિયાન યોજાયેલ અધિવેશનમાં સૌથી વધુ વખત અધિવેશન ક્યા સ્થળે મળેલ ?
– કોલકત્તા
૩૫) અમદાવાદમા વાઈસરૉય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર બે વખત બોમ્બ ફેંકાયા હતા. આ બોમ્બ કોના દ્વારા ફેંકવામાં આવેલ હતા ?
– મોહનલાલ પંડ્યા, પુંજાભાઈ વકીલ અને વસંતરાવ વ્યાસ
૩૬) ક્યા ચાર્ટર એક્ટ દ્વારા સનદી સેવામાં પ્રવેશ માટે સ્પર્ધાત્મ્ક પરીક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી ?
– ૧૮૫૩ ના
૩૭) સિકંદરને ભારત પર ચઢાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતા ?
– શશિગુપ્ત અને આંભીકુમાર
૩૮) ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ માળવાના વિશાળ પ્રદેશ પર વિજય મેળવીને તેને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવીને ક્યા રાજવીએ “સિંહવિક્રમ” ઉપાધિ ધારણ કરી હતી ?
– ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્ય)
૩૯) હડપપીય સભ્યતાના ક્યા નગરમાંથી રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે ?
– ધોળાવીરા
૪૦) ઈ.સ. પૂર્વે કઈ સદીમાં ઈરાનીઑનું ભારત પર આક્રમણ થયું હતું ?
– છઠ્ઠી સદીમાં
૪૧) રામલી ઇબ્રાહિમ ક્યા નૃત્યના વિખ્યાત કલાકાર હતા ?
– ભરતનાટ્યમ અને ઓડીસી
૪૨) સ્વ. ડો. આબાન મિસ્ત્રી ક્યા વાધના પ્રસિદ્ધ કલાકાર હતા ?
– તબલા
૪૩) હઠીગુમ્ફા (Hathigumpha) શિલાલેખ ક્યા સમ્રાટને આભારી છે ?
– ખારવેલ
૪૪) છૌ (Chhau) નૃત્ય ક્યા રાજયનું છે ?
– ઝારખંડ
૪૫) “કજરી” એ ક્યા રાજ્યનો લોકસંગીતનો એક પ્રકાર છે ?
– ઉત્તરપ્રદેશ
૪૬) નરોત્તમ બાવાભાઈ, દલપતરામ દવે, વાસુદેવ મહારાજ અને ભાવનગરના મહારાજા હજૂરિયાના છગન ગવાસ કોની સાથે સંલગ્ન હતા ?
– ચિત્રકળા
૪૭) ક્યા સંપ્રદાયના મંદિરોમા ફાગણ માસમા હોરીગીત ગવાય છે ?
– વૈષ્ણવ
૪૮) કોણાર્કના વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિરની સ્થાપના ઈ.સ.ની કઈ સદીમાં થઈ હતી ?
– ૧૩ મી
૪૯) લાઈ હારોબા તહેવાર ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ?
– મણિપુર
૫૦) મહાજનપદ “મત્સ્ય” ની રાજધાની કઈ હતી ?
– વિરાટનગર
૫૧) ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સંગીત સમારોહનું મધ્યપ્રદેશમા ક્યા સ્થળે આયોજન કરવામાં આવે છે ?
– મૈહર
૫૨) બિજાપુરના આદિલશાહોએ કઈ ભાષાને પ્રોત્સાહન આપેલું ?
– ઉર્દુ અને ફારસી
૫૩) કોણાર્કનું સૂર્યમંદિર, પુરીનું જગન્નાથ મંદિર અને ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર ક્યા પ્રકારની શૈલીના મંદિરો છે ?
– ઓડિશા શૈલી
૫૪) પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, તેને ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ કોણે બંધાવ્યા હતા ?
– માનાજી રાવ
૫૫) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સૌપ્રથમ ક્યા સ્થળે સ્થપાઈ હતી ?
– ગાંધીનગર
૫૬) ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું ક્યુ ચિહ્ન સુંધુ સંસ્કૃતિની ભેટ ગણાય છે ?
– સ્વસ્તિક
૫૭) આદિવાસી લોકો વર્ષાઋતુંમા જંગલમાં નવું ઘાસ ઊગે ત્યારે તેની ખુશીમાં ક્યો તહેવાર ઉજવે છે ?
– નંદુરોદેવ
૫૮) ખ્રિસ્તી ધર્મના તીર્થસ્થળો પૈકી આરોગ્ય માતાનું મંદિર ક્યા સ્થળે આવેલુ છે ?
– પેટલાદ (ખેડા)
૫૯) ગ્રામસેવા મંદિર મહિલા વિધ્યાપીઠ ક્યા સ્થળે આવેલી છે ?
– નારદીપુર (ગાંધીનગર)
૬૦) નુતન ભારતી ગ્રામ વિધ્યાપીઠ ક્યા સ્થળે આવેલી છે ?
– મડાણાંગઢ (બનાસકાંઠા)
૬૧) સઘન મહિલા ગ્રામ વિધ્યાપીઠ ક્યા સ્થળે આવેલી છે ?
– ચિત્રાસણી (બનાસકાંઠા)
૬૨) કાળા ધાબા વડે છાયા ચિત્રો રચી અલગ જાતની ચિત્રકળા વિકસાવનાર અને સ્વાતંત્ર ચળવળોમા પણ ચિત્રો ઉપસાવી પ્રભાવિત કરનાર ચિત્રકાર કોણ હતા ?
– કનુ દેસાઈ
૬૩) કઈ ચિત્રકળાને અંગીકા કળા અને નાગ ચિત્રકળા પણ કહેવામા આવે છે ?
– મંજૂષા ચિત્રકળા
૬૪) સંગમયુગ દરમિયાન દક્ષિણ ભારતના રાજકીય જીવનમાં……..નામે સંસ્થા ન્યાયને લગતી કામગીરી સંભાળતી હતી ?
– મનરમ
૬૫) ઐતિહાસિક ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
– મીનળદેવી (મયણલ્લદેવી)
૬૬) સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્ધાન શ્રી હર્ષેના મહાકાવ્યનું નામ શું હતું ?
– સિદ્ધાંત સંગહ
૬૭) કુતુબમિનાર કોની સ્મૃતિમાં બંધાયેલો તુર્કી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે ?
– કુતુબુદીન બખ્તીયાર
૬૮) ભારતના ક્યા રાજાના દરબારમાં ‘અષ્ટ દિગ્ગજો’ નામે ઓળખાતા આઠ વિદ્ધાનો હતા ?
– ક્રુષ્ણ દેવરાય
૬૯) જન્મભૂમિ અખબારના તંત્રી કોણ હતા ?
– શામળદાસ ગાંધી
૭૦) સ્વતંત્રતા અખબારના તંત્રી કોણ હતા ?
– ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
૭૧) કર્મભૂમિ અખબારના તંત્રી કોણ હતા ?
– અમૃતલાલ શેઠ
૭૨) દિલ્હી સલ્તનત સમય દરમિયાન હિન્દુ પુરાણોનો અભ્યાસ કરનાર સૌપ્રથમ ઇતિહાસ નોંધક વિદ્ધાન કોણ હતા ?
– અલબેરૂની
૭૩) “જાતિ પાતી પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ” મધ્યકાલના ભક્તિ આંદોલનના ક્યા સંતનો આ જીવનમંત્ર હતો ?
– રામાનંદ
૭૪) ઇન્ડિયન પિનલ કોડ અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ભારતના ક્યા ગવર્નર જનરલ અને વાઈસરૉયના સમયગાળામા પસાર કરવામાં આવ્યા ?
– લોર્ડ કેનિંગ
૭૫) ગાંધીજીએ ક્યા કોંગ્રેસ અધિવેશનથી ઓછા/ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો, જે આજીવન પાળી બતાવ્યો.
– વિજયવાડા અધિવેશન
૭૬) ગુજરાતમાં સ્વદેશી આંદોલનના ભાગ સ્વરૂપ ભાવનગરમાં ક્યા સંગઠનની રચના થયેલી હતી ?
– સ્વદેશ પ્રેમી મંડળ
૭૭) મહારાષ્ટ્રમાં અમર નામના મેળવનાર રામશાસ્ત્રી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા ?
– માધવરાવ પહેલા
૭૮) ભારતના બંધારણના ઉદ્દેશયોમાના “આર્થિક ન્યાય” ની બાબતનો પ્રબંધ શામાં કરવામાં આવેલ છે ?
– ઉદ્દેશિકા અને રાજ્યનીતિના નિર્દેશક તત્વ
૭૯) સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે ?
– સંસદ
૮૦) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના કરવામાં આવે છે ?
– અનુચ્છેદ ૮૧
૮૧) જ્યારે કોઈ ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો હોય તો, કોને ખરડા પર અનુમતિ રોકવાનો અધિકાર છે ?
– રાષ્ટ્રપતિને
૮૨) સંસદીય સમિતિઓ પૈકી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ કલ્યાણ માટેની સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ?
– કુલ ૩૦ (લોકસભા-૨૦, રાજ્યસભા-૧૦)
૮૩) તાલુકા અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ?
– વિકાસ કમિશનર
૮૪) ભારતના રાષ્ટ્રપતિએ એક માત્ર બાબતમાં પોતાના પોકેટ વિટોનો ઉપયોગ શાના માટે કર્યો હતો ?
– ભારત ડાકઘર (સુધારણા) બિલ
૮૫) લદ્દાખના પ્રથમ લેફટનન્ટ ગવર્નર જનરલ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા હતા ?
– રાધાકૃષ્ણ માથુર
૮૬) ઝરૂકી (Zaruki) આંતરાષ્ટ્રીય હવાઈમથક ક્યા આવેલું છે ?
– શિલોંગ
૮૭) ચીડના રસમાથી શું બનાવવામાં આવે છે ?
– ટર્પેંટાઈન
૮૮) ક્યા પ્રકારની જમીનનું નિર્માણ શિવાલીક ટેકરીઓમાથી મળેલ નિક્ષેપિત પદાર્થોથી થયેલું છે, જે ફળદ્રુપ હોય ગીચ જંગલોના વિકાસ માટે મદદ કરે છે. તેને સાફ કરી ઘઉં, ડાંગર, શેરડી વગેરે પાકો ઉગાડવામાં આવે છે ?
– તરાઈ જમીન
૮૯) ક્યો પાક ખરીફ તથા રવિ એમ બંને પ્રકારનો છે ?
– જુવાર
૯૦) રાષ્ટ્રનો પ્રથમ ગેસ આધારિત ક્યો પ્લાન્ટ ‘એસ્સાર ગુજરાત’ દ્વારા સુરત પાસેના હજીરા ખાતે શરૂ કરવામાં આવેલ ?
– સ્પોન્જ આયર્ન
૯૧) સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે, ત્યાં તેનો પટ ૭ કિલોમીટર પહોળો છે, તે વિસ્તાર ક્યા નામે ઓળખાય છે ?
– કોપાલીની ખાડી
૯૨) છીછરો દરિયાકિનારો અને કાંપના ભરાવની ગેરહાજરીણે કારણે કચ્છનો અખાત ક્યા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઉપયોગી છે ?
– ઓઈસ્ટર માછલી
૯૩) સિરામિક ઉધોગમાં ટાઇલ્સ અને સ્નાનગરમાં ચમક લાવવા કઈ ખનીજનો ઉપયોગ થાય છે ?
– વુલેસ્ટોનાઈટ
૯૪) લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા ક્યા બંદર ઉપર વેપાર જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટ ગાર્ડના જહાજો બનાવવામાં આવે છે ?
– હજીરા
૯૫) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જે દરેક બેન્કોને નાણાં ‘લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી’ અંતર્ગત ધીરે છે, તે એટ્લે……
– રેપોરેટ
૯૬) વિભિન્ન બેન્કો, નાણાકીય સંસ્થાઓ તથા કંપનીઓ દ્વારા જાહેર કરેલ ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ વગેરેને શું કહે છે ?
– પ્લાસ્ટિક નાણાં (Plastic Currency)
૯૭) ઘર્ષણજન્ય બેકારી કોને કહેવામા આવે છે ?
– લોકો જૂની નોકરી છોડે અને નવી નોકરીની શોધમાં હોય ત્યારે જે બેકારી હોય, લોકો ભણતર પૂરું કરીને પ્રથમ વખત નોકરી શોધતા હોય ત્યારે જે બેકારી હોય તેને.
૯૮) ‘વિશ્વ વ્યાપાર સંગઠન’ કઈ મુખ્ય ધારણા સાથે સ્થપાયેલું છે ?
– સ્પર્ધા વધશે તો વિકાસ થશે અને વ્યાપાર વધશે તો વિકાસ થશે.
૯૯) ‘અટલ ઈનોવેશન’ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે ?
– નીતિ આયોગ
૧૦૦) બંધારણમાં વસ્તુ અને સેવા કર (GST) સંબંધિત દરેક મહત્વપૂર્ણ વિષયો તેમજ GSTના દરોના નિર્ધારણ સંબંધિત વિષયો પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર કોને આપવામાં આવ્યો છે ?
– વસ્તુ અને સેવા કર પરિષદ (GST Council)
૧૦૧) ભારતના પરદેશમાં વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહાર સંબંધિત ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદોમાં જોગવાઈ કરવામાં આવી છે ?
– અનુચ્છેદ ૩૦૧ થી ૩૦૫ અને ૩૦૭
૧૦૨) ઈસરો દ્વારા પ્રસ્થાપિત ટેલિઓસ-૧ (TeLEOS-1) ઉપગ્રહ ક્યાં દેશનો ઉપગ્રહ છે ?
– સિંગાપુર
૧૦૩) રૂસ્તમ-II શું છે ?
– માનવરહિત ડ્રોન
૧૦૪) ધરતીકંપના તંરંગો કેવા પ્રકારના હોય છે ?
– ઈન્ફ્રાસોનિક
૧૦૫) ક્યાં કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે ?
– ત્રાકકણો
૧૦૬) ગ્રીન હાઉસ અસર મોટેભાગે શાના કારણે થાય છે ?
– વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડ
૧૦૭) ‘MAST’ નું પૂરું નામ શું છે ?
– THE MULTI APPLICATION SOLAR TELESCOPE
૧૦૮) એક જ ફાઇલની માહિતી જુદા જુદા બ્લોકમાં છૂટી છવાઈ સંપ થયેલ હોય તેને ક્રમિક ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે ?
– અનફ્રેગ્મેન્ટેડ
૧૦૯) ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ કઈ સંસ્થા/મંત્રાલય હેઠળ કાર્યરત છે ?
– પ્રધાનમંત્રી કાર્યાલય
૧૧૦) ભારતની પ્રથમ પરમાણુ સંપન્ન સબમરીન કઈ છે ?
– અરિહંત
૧૧૧) ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન-K નું આપણાં શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે ?
– રક્તના સંવર્ધનમાં મદદ કરે છે.
૧૧૨) દિલ્હીમાં ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા દિલ્હી સરકાર દ્વારા ક્યાં નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?
– સ્વિચ દિલ્હી
૧૧૩) કેરલના શબરિમાલા મંદિરમાં દર વર્ષે ઉત્તરાયના તહેવાર દરમિયાન ક્યો ઉત્સવ ઉજવવામાં આવે છે ?
– મકર વિલક્કુ
૧૧૪) ‘મેક ઈન ઈન્ડિયા’ ના વિઝન હેઠળ ગુજરાતમાં એલ.એન્ડ.ટી કંપની દ્વારા સ્વદેશી બનાવટની કઈ ટેન્કનું નિર્માણ કરવામાં આવેલ છે ?
– K9 વજ્ર
115) હિમાચલ પ્રદેશમાં હિમાલયની કઈ પવર્તમાળામાં ૯.૦૨ કિમીની ‘અટલ ટનલ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે ?
– પીર પંજાલ
૧૧૬) મકસદ ક્રુતિના કર્તા કોણ છે ?
– લાભશંકર ઠાકર
૧૧૭) બીજી સવારનો સુરક કૃતિના કર્તા કોણ છે ?
– હસુ યાજ્ઞિક
૧૧૮) ગુલાબ કૃતિના કર્તા કોણ છે ?
– નગીનદાસ મારફતિયા
૧૧૯) કપૂરનો દીવો કૃતિના કર્તા કોણ છે ?
– ચંદ્રવદન મહેતા
૧૨૦) એન્ડુજ પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
– સુરત
૧૨૧) સયાજી વિજય પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
– નવસારી
૧૨૨) લેંગ પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
– રાજકોટ
૧૨૩) બાર્ટન પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
– ભાવનગર
૧૨૪) ભીલ જનજાતિમાં ગાંધર્વ લગ્ન માટે ક્યા શબ્દનો પ્રયોગ થાય છે ?
– ઉદાળી જવું
૧૨૫) અચિંત્ય ભેદ-અભેદની વૈષ્ણવ પરંપરાના મહાન સંત કોણ હતા ?
– વલ્લભાચાર્ય
૧૨૬) પ્રકૃતિક ચીકીત્સા માટેની વિવિધ ઔષધિય વસ્તુઓનું અપુર્વ સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
– જુનાગઢ ખાતે
૧૨૭) સ્ત્રીપાત્રો ભજવવા માટે વિખ્યાત એવા ક્યાં અભિનેતાએ ‘અભિનયપંથે’ નામે આત્મકથા લખી છે ?
– અમ્રુત જાની
૧૨૮) ભારતમાં સૌથી મોટી પહેલા નંબરની હડપીય વસાહત કઈ છે ?
– રખાઈગ્રહી (હરિયાણા)
૧૨૯) કઈ દર્શનિક વિચારધારાના દ્રષ્ટિકોણથી મુક્તિ જ્ઞાનપ્રાપ્તિ દ્વારા જ થઈ શકે છે ?
– સાંખ્ય વિચારધારા
૧૩૦) સિદ્ધ ચક્રવતી, અવંતિનાથ, બર્બરક જિષ્ણુ અને ત્રિલોકય ગંડ જેવા ઉપનામ ક્યા રાજાને મળેલ છે ?
– સિદ્ધરાજ જયસિંહ
૧૩૧) સમુદ્રગુપ્ત સમયનો ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન તેણે કોતરાવેલ અલાહાબાદ પાસેનો સ્તંભાલેખ છે, તેનું આલેખન ક્યા રાજકવિએ કર્યું હતું ?
– હરિષેણ
૧૩૨) અશોકે કોતરવેલા શિલાલેખો પરના આદેશો કે લખાણોને શું કહેવામા આવે છે ?
– ધર્મજ્ઞા અથવા ધર્મલિપિ
૧૩૩) મોર્ય વહીવટી તંત્રમાં પરરાજયો સાથેના સંબંધોને લગતા ખાતાનો મંત્રી ક્યા નામે ઓળખાતા હતા ?
– પ્રશસત્રિ
૧૩૪) ચૌલ શૈલીના મંદિરોમાં તાંજોરનું, ભારતનું સૌથી ઊંચું, મોટું અને ભવ્ય મંદિર ક્યુ છે ?
– બૃહદીશ્વર
૧૩૫) વોરન હેસ્ટિંગ્સ સમયના ક્યા અંગ્રેજ વિદ્ધાન રોયલ એશિયાટિક સોસાયટીના સ્થાપક અને સાર્વ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ?
– વિલિયમ જોન્સ
૧૩૬) મહાગુજરાત આંદોલન સમયે જેલ ભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો ?
– જયંતિ દલાલ
૧૩૭) ઇંડિયન વોર ઓફ ઈંડિપેંડેન્સ ૧૮૫૭ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે ?
– વિનાયક દામોદર સાવકર
૧૩૮) વડનગર ખાતે ઉજવાતા તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ અંતર્ગત ૨૦૦૯ થી શ્રેષ્ઠતમ સંગીતમાં પ્રદાન કરનાર ને તાનારીરી પુરસ્કારથી સન્માનીત કરવામાં આવે છે, જેના પ્રથમ પુરસ્કાર વિજેતા કોણ હતા ?
– લત્તા મંગેશકર અને ઉષા મંગેશકર
૧૩૯) કથીપો, વાડીવેલો, વાંકડી, બુટ્ટી, આરી જેવા વિવિધ પ્રકારના શું છે ?
– લોક ભરત કામના આકાર, પ્રકાર
૧૪૦) ગિરનાર પર જૈન તીર્થકર નેમિનાથનું પ્રાચીન દેરાસર કોણે બંધાવ્યું હતું ?
– દંડનાયક સજ્જન મહેતા
૧૪૧) જુગલબંધી નર્તક અને તબલા વગાડનાર વચ્ચે એક પ્રતિ સ્પર્ધાત્મક રમત હોય છે તે ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંબંધિત છે ?
– કથક
૧૪૨) સર્જન અંગે ‘પ્રિયદર્શી’ અને વિવેચન ક્ષેત્રે ‘મધુદર્શી’ એ ક્યા સાહિત્યકારના ઉપનામ છે ?
– મધુસૂદન પારેખ
૧૪૩) બંગાળની કઈ કલા એક હજાર વર્ષ જૂની છે, તે મંગલ કાવ્યો દેવી-દેવતાઓની વાર્તાઓનું વર્ણન કરતી ગ્રામીણ પરંપરાના ચિત્રો સ્વરૂપે શરૂ થયેલ જેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
– પટુઆ કલા
૧૪૪) “મને એ જોઈને, હસવું હજારવાર આવે છે પ્રભજ! તારા બનાવેલા આજે તને બનાવે છે” આ પંક્તિ ક્યા ગઝલકારની છે ?
– હરજી લવજી દામાણી ‘શયદા’
૧૪૫) એક ચરિત્રલેખક, કોશકાર, સંશોધક, સંપાદક તેમજ અનુવાદક તરીકે જાણીતા કયા સાહિત્યકારને રણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી અને વિધ્યાવાચસ્પતિ તેમજ મહામહિમોપાધ્યાયની પદવી એનાયત થયેલી હતી ?
– કે.કા શાસ્ત્રી
૧૪૬) જૈન તીર્થસ્થલ તારંગા ખાતે એક જ શિલામાથી કંડારાયેલ ક્યા ભગવાનની પ્રતિમા છે ?
– અજીતનાથ
૧૪૭) બંધારણ સભામાં “ઉદ્દેશ્ય પ્રસ્તાવ” નું પ્રરૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા ?
– સર. બી. એન. રાવ
૧૪૮) ‘બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે’ આ સિદ્ધાંત એટ્લે જ……..
– સાર્વભૌમિકતા
૧૪૯) ભારતની આઝાદી સમયે ક્યા મુખ્ય ત્રણ રાજ્યોએ ભારતમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો ?
– જુનાગઢ, હૈદરાબાદ, જમ્મુ-કશ્મીર
૧૫૦) ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો પૈકી ભારતમાં સમાનતાના હક બાબતે કોણ કોણ અપવાદરૂપ છે ?
– ભારતના રાષ્ટ્રપતિ અને રાજયપાલ, સંસદસભ્યો અને વિધાનસભ્યોને વિશેષાધિકાર, વિદેશીરાજદૂતો, વિદેશી શાસકો, સંયુક્ત રાષ્ટ્ર અને તેની સંસ્થાના અધિકારીઓ

General Knowledge Questions In Gujarati – જનરલ નોલેજના પ્રશ્નો

૧)જાહેર વહીવટમાં હાલ કઈ પદ્ધતિ દુનિયાભરમાં અસ્તિત્વમાં છે ?
>>રાજશાહી,સરમુખત્યારશાહી અને ધાર્મિક સરમુખત્યારશાહી
૨) વ્યાપક અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાનો સમાવેશ થાય છે ?
>>ન્યાતંત્ર,કારોબારી અને ધારાગૃહ
૩) “વહીવટ ને કામ કરાવવા બાબતે સંબંધ છે, નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે.” આ વિધાન કોનું છે ?
>>લ્યુથર ગુલિક
૪) જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એમ કોણે પ્રસ્થાપિત કર્યું ?
>>ડબલ્યુ એફ. વિલોગ્બિ
૫) POSDCORB શબ્દ કોણે આપ્યો ?
>>ગુલિક અને ઉર્વિક
૬) વહીવટ ની બાબતમાં કઈ બાબતો અગત્યની છે ?
>>નિર્ણય પ્રક્રિયા,પ્રત્યાયન અને અંકુશ
૭) જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ મહત્વની છે એમ કોણે કહ્યું છે ?
>>રોબર્ટ બ્લૂમ
૮) જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ કઈ સદી સુધી ચાલ્યો હતો ?
>>૧૯ મી
૯) રાજકારણ અને વહીવટ વચ્ચે તફાવત છે એમ સૌપ્રથમ કોણે કહ્યું ?
>>વુડરો વિલ્સન
૧૦) જાહેર વહીવટમાં મૂલ્યો કે ધોરણોનો સમાવેશ થાય છે એએમ કોણે કહ્યું ?
>>રોબર્ટ દાહલ
૧૧) ‘ધ પ્રિન્સ’ પુસ્તક કોણે લખ્યું છે ?
>>મેકિયાવેલી
૧૨) ગુલિક અને ઉર્વિક દ્વારા શેને જાહેર વહીવટનો સિદ્ધાંત ગણવામાં આવ્યો છે ?
>>દિશાનિર્દેશ અને સંકલન
૧૩) “કાર્યક્ષમતા અને કરકસર એ જાહેર વહીવટના મુખ્ય સૂત્રો છે” આ વિધાન કોનું છે ?
>>લિયોનાર્ડ વ્હાઇટ
૧૪) જાહેર વહીવટની વિધાશાખામાં કઈ પેટાશાખાનો સમાવેશ થાય છે ?
>>સંગઠનાત્મક સિદ્ધાંત, સંગઠનાત્મક વર્તન અને જાહેર મહેકમનો વહીવટ
૧૫) “જાહેર વહીવટ સરકારના વહીવટ સાથે સંબંધિત છે” આ વિધાન કોનું છે ?
>>ઇ.એન. ગ્લેડ્ન
૧૬) જાહેર વહીવટનો સંકલિત અભિગમ શું છે ?
>> તેમાં કોઈક હેતુ પૂર્ણ કરવા માટે થતી તમામ પ્રવૃતીઓને આવરી લેવામાં આવે છે. , તે સંચાલકીય,ટેકનિકલ,કારકુની અને ભૌતિક પ્રવૃતિઑનો સરવાળો છે. , તે જે સંબંધિત એજન્સીના વિષયવસ્તુ ઉપર આધાર રાખે છે.
૧૭) જાહેર વહીવટમાં શું થવું જોઈએ અને શું ના થવું જોઈએ એવું ક્યાં અભિગમમાં વિચારવામાં આવે છે ?
>> દાર્શનિક અભિગમ
૧૮) જાહેર વહીવટમાં જાહેર સત્તાધીશોના કાર્યો, સત્તાઓ અને મર્યાદાઑ ઉપર ક્યાં અભિગમમાં ધ્યાન આપવામાં આવે છે ?
>>કાનૂની અભિગમ
૧૯) “જો આપણી સભ્યતા નિષ્ફળ જાય તો તેનું મુખ્ય કારણ વહીવટી તંત્ર તૂટી પડવાનું હશે.” આ વિધાન કોનું છે ?
>> ડબલ્યુ.બી. ડોન્હામ
૨૦) જાહેર વહીવટી તંત્રની ભૂમિકા શું છે ?
>>તે રાજ્ય દ્વારા ઘડવામાં આવતા નીતિઓ,કાયદાઓ અને કાર્યક્રમોનો અમલ કરવા માટેનું સાધન છે. , તે સરકારનો પાયો છે. , તે સમાજમાં સ્થિરતાનું પરિબળ છે.
૨૧) ‘વહીવટ એ સરકારનો સૌથી સ્પષ્ટ ભાગ છે. જાહેર વહીવટ એટ્લે સરકારનું કાર્ય,એ સરકારની અમલકારી, કાર્ય કરતી અને સૌથી વધુ દશ્યમાન બાબત છે.”
>>વુડરો વિલસ્ન
૨૨) “વિષયવસ્તુને આધારે વહીવટ એક ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વચ્ચે બદલાય છે.” આ વિધાન શું વ્યક્ત કરે છે ?
>>વહીવટનો સંકલિત દ્રસ્તિકોણ
૨૩) કોઈ હેતુ સિદ્ધ કરવા માટે જે ભૌતિક,કારકુની,સંચલકીય અને ટેકનિકલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તે વહીવટ છે. આ વિધાન શું કહેવાય ?
>>વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ
૨૪) વહીવટના સંકલિત દ્રષ્ટિકોણ નો ખ્યાલ કોણે આપ્યો ?
>>એલ.ડી.વ્હાઇટ અને એમ.ઇ.ડીકોક
૨૫) જાહેર વહીવટની વિશેષતા શું છે ?
>> એ મનુષ્યના તમામ પાંસાને સ્પર્શે છે.
૨૬) જાહેર વહીવટમાં ખર્ચ ઉપર કેવું નિયંત્રણ હોય છે ?
>>જાહેર નિયંત્રણ
૨૭) જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંને માં શું જરૂરી છે ?
>> જનસંપર્ક,કર્મચારીઑનું કલ્યાણ અને કર્મચારીઓની ભરતી અને બઢતી ના ધોરણો
૨૮) “કાયદાનો અમલ કરવા માટે સરકાર જે કઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કરે છે.” આ વિધાન કોનું છે ?
>> એચ. વોકર
૨૯) જાહેર વહીવટમાં “શું છે” તેનું વિશ્લેષ્ણ થાય તો તેને ક્યો અભિગમ કહેવાય ?
>>અનુભવાશ્રિત અભિગમ
૩૦) “જાહેર વહીવટ મોટું સર્જનાત્મક બળ છે અને તેનો આદર્શ મનુષ્યનું કલ્યાણ છે” આ વિધાન કોનું છે ?
>> એચ. ફાઇનર
૩૧) જાહેર વહીવટમાં “શું હોવું જોઈએ ?” તેનું વિશ્લેષણ થાય તો તેને ક્યો અભિગમ કહેવાય ?
>>ધોરણલક્ષી અભિગમ
૩૨) ભારતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે ?
>>ગ્રામ પંચાયત , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
૩૩) ગુજરાતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે ?
>> GIDC,તકેદારી પાંચ અને રાજ્ય માહિતી પંચ
૩૪) જાહેર વહીવટની પોતાની કોઈ નિશ્ચિત સરહદો હોતી નથી કારણ કે…….
>>સરકારની પ્રવૃત્તિઓ ઘટે છે. , સરકારની પ્રવૃત્તિઓ વધે છે. અને સરકારની પ્રવૃત્તિઓ સંજોગો અનુસાર બદલાય છે.
૩૫) શાનો વહીવટ જાહેર વહીવટ કહેવાય ?
>>તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , ગ્રામ પંચાયત , રાજ્ય સરકાર , નગરપાલિકા
૩૬) “સરકારનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા કલ્યાણ સાધવા લોકોના માર્ગ મોકળો કરવાનું છે” એમ કોણ માને છે ?
>> વ્યક્તિવાદીઑ
૩૭) “ચોક્કસ વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલો માનવસમુહ એટ્લે રાજ્ય” આ વિધાન કોનું છે ?
>> વુડરો વિલ્સન
૩૮) જાહેર વહીવટમાં અંકુશને મોટેભાગે શાની સાથે સંબંધ હોય છે ?
>> હોદ્દો
૩૯) ચાણક્યએ રાજ્યના કેટલા અંગો ગણાવ્યા છે ?
>> સાત
૪૦) કૌટિલ્ય શાસન કોને કહે છે ?
>>રાજાની આજ્ઞા
૪૧) કૌટિલ્યના મતે રાજા અને રાજ્ય મળીને શું થાય છે ?
>> પ્રકૃતિ
૪૨) કૌટિલ્યના અનુસાર સારા રાજ્યનું લક્ષણ શું છે ?
>>તેમાં સારા સ્થાનો આવેલા હોય, લોકોને પોતાના જીવનનિર્વાહના સાધનો મળી શકતા હોય અને પાણી માટે વરસાદ પર આધાર ન રાખવો પડતો હોય.
૪૩) કૌટિલ્યના મતે ધર્મન્યાય એટ્લે શું ?
>>બુદ્ધિની મદદથી અપાતો ન્યાય
૪૪) કૌટિલ્ય શાની મદદથી રાજાને પ્રજાનું રક્ષણ કરવા કહે છે ?
>>ધર્મ
૪૫) કૌટિલ્ય રાજાને શું અનુસરીને શાસન કરવા કહે છે ?
>>ચારિત્રય,ન્યાય,ધર્મ અને વ્યવહાર
૪૬) ચાણક્યએ રાજ્યના અંગોમા શાનો સમાવેશ કરેલો છે ?
>>સ્વામી,અમાત્ય,જનપદ,દુર્ગ,કોશ,દંડ,મિત્ર.
૪૭) ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે ?
>> મંત્રી પરિષદ અને અમાત્યો
૪૮) કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ક્યો ખ્યાલ પ્રવર્તે છે ?
>>રાજાથી અન્યાય થઈ જાય તો તેને પોતાને દંડાધીન થવું. , રાજાથી અન્યાય થઈ જાય તો તેને પ્રાયશ્ચિત કરીને પોતાની જાતને સજા કરવી , કાયદાને જીવતો જાગતો રાખવો એ રાજાનો ધર્મ છે.
૪૯) અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે ?
>>કૌટિલ્યએ
૫૦) કૌટિલ્યના મત અનુસાર દંડને જ્યારે બાજુ ઉપર મૂકવામાં આવે ત્યારે………………..
>> મત્સય ન્યાય ઊભો થાય છે.
૫૧) કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના કર્મચારીઓ નાણાની ઉચાપાત કર્તા હોવાના કેટલા માર્ગો દર્શાવ્યા છે ?
>>૨૪
૫૨) જાહેર વહીવટ માટે અનિશ્ચિતતાનો સમયગાળો ક્યો કહેવાય છે ?
>>૧૯૨૭-૩૭
૫૩) ૧૯૨૭-૩૭ ના જાહેર વહીવટના તબક્કામાં ક્યો ખ્યાલ વિકસ્યો છે ?
>>જાહેર વહીવટ એ સંચાલનનું મૂલ્યમુક્ત વિજ્ઞાન છે.
૫૪) જાહેર વહીવટમાં ક્યો તબક્કો ઓળખની કટોકટીનો છે ?
>>૧૯૪૮-૭૦
૫૫) ‘નુતન જાહેર વહીવટ’ નો શબ્દપ્રયોગ જાહેર વહીવટના વિકાસના ક્યાં તબક્કામાં થવા માંડ્યો ?
>>૧૯૭૧ પછી
૫૬) વિવિધ વિષયોના નિષ્ણાતોની જરૂરિયાત જાહેર વહીવટમાં ક્યાં તબક્કામાં વધી ?
>>૧૯૭૧ પછી
૫૭) જાહેર વહીવટ એક વિજ્ઞાન છે એવો ખ્યાલ ક્યાં તબક્કા માં વિકસ્યો હતો ?
>> ૧૮૮૭-૧૯૨૬
૫૮) કોના પુસ્તક ‘Principles of Public Administration’ થી જાહેર વહીવટની બીજા તબક્કાની શરૂઆત થઈ ?
>> ડબલ્યુ. એફ. વિલોગબી
૫૯) નીતિ ઘડતરમાં વહીવટ મહત્વની ભૂમિકા ભજવે છે એ ખ્યાલ જાહેર વહીવટના ક્યાં તબક્કામાં ઊભો થયો ?
>>૧૯૭૧ પછીનો
૬૦) “જાહેર વહીવટના સિદ્ધાંતનો અર્થ રાજકારણનો સિદ્ધાંત પણ છે.” એવું ક્યાં તબક્કામાં કહેવાયું ?
>>૧૯૪૮-૭૦
૬૧) જાહેર વસ્તુઓની પસંદગી અંગેના મરજિયાત વિનિમયનો સિદ્ધાંત કોણે આપ્યો ?
>> એરિક લિન્ડહોલ
૬૨) લોકો જાહેર વસ્તુઓની સાચી પસંદગી વ્યક્ત કરતાં હોતા નથી એમ કોણ માને છે ?
>> પોલ સેમ્યુલ્સ્ન
૬૩) જાહેર વસ્તુઓના કિસ્સામાં “પ્રાપ્ત થઈ શકે તેવા શ્રેષ્ઠ પરમ સુખનો ખ્યાલ કોણે આપ્યો છે ?
>>પોલ સેમ્યુલ્સ્ન
૬૪) શાને કારણે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે પડકાર ઊભો થયો છે ?
>>વિજ્ઞાન અને ટેક્નોલોજી નો વિકાસ
૬૫) જાહેર વહીવટમાં ઉદરીકરણના યુગમાં કઈ નવી વાત જોવા મળે છે ?
>> જાહેર-ખાનગી ભાગીદારી , રાજકીય અર્થતંત્ર અને ટેકનિકલ કાર્યક્ષમતાની જરૂરિયાત
૬૬) ઉદરીકરણમાં જાહેર વહીવટની ભૂમિકા શી રહી છે ?
>> બજારનું નિયમન કરવું
૬૭) ભારતમાં સરકારી પંચની રચના કેવી રીતે થાય છે ?
>> બંધારણ દ્વારા , સરકારના ઠરાવ દ્વારા અને વિધાનસભા અને સંસદના કાયદા દ્વારા
૬૮) સરકાર શેના માટે પંચની રચના કરે છે ?
>> ભ્રષ્ટાચારની તપાસ માટે , કોઈક ઘટનાની તપાસ માટે અને કોઈક ક્ષેત્રનું નિયમન કરવા માટે
૬૮) સરકાર દ્વારા નિમાતા પંચનું કાર્ય કેવું હોય છે ?
>> વહીવટી,અદાલતી અને અર્ધ-અદાલતી
૬૯) જ્યારે નીતિઓ ઘડવામાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા બોર્ડસ ની રચના કરાય છે એમ કોણે કહ્યું છે ?
>> પ્રો. વિલોગબી
૭૦) સરકાર દ્વારા રચવામાં આવતા બોર્ડસ કેવા હોય છે ?
>> તેના બધા સભ્યો સનયુક્ત રીતે જે તે સરકારી વિભાગ ને જવાબદાર હોય. બોર્ડ સંયુક્ત રીતે નીતિ ઘડવા માટે જવાબદાર હોય. તેના સભ્યોની જવાબદારી વહેંચાયેલી હોય અને તે સરકારને સલાહ આપવા માટે હોય.
૭૧) કઈ સરકાર વિવિધ પ્રકારના બોર્ડ્સ ની રચના કરે છે ?
>>ભારત સરકાર અને રાજ્ય સરકાર
૭૨) ભારતમાં સરકાર જે બોર્ડ્સ ની રચના કરે છે એમાં કોણ સભ્યો હોય છે ?
>> નિષ્ણાતો , સાંસદો , ધારાસભ્યો , અધિકારીઑ
૭૩) સરકારની સલાહકાર સમિતિ ની રચના શાના આધારે થાય છે ?
>> સરકારી ઠરાવ
૭૪) સરકારનો ક્ષેત્રિય વહીવટી વિસ્તાર ક્યાં પરિબળને આધારે નક્કી થાય છે ?
>> ઐતિહાસિક,ભૌગોલિક અને રાજકીય
૭૫) ક્ષેત્રિય કચેરીમાં જે વહીવટી એકમ કે અધિકારી હોય એ કયુ કામ કરે છે ?
>> આયોજન અને સંકલન , નિયંત્રણ નિર્દેશન
૭૬) ભારતમાં નાણાં ક્ષેત્રે નિયમનકારી સંસ્થાઓ કઈ ?
>>નાણાં મંત્રાલય , RBI , SEBI , IRDA , PFRDA
૭૭) ભારતમાં નિયમનકારી સંસ્થાઓની સ્થાપના શા માટે કરવામાં આવી છે ?
>> ૧૯૯૧ પછી ભારત સરકારે ખાનગી ક્ષેત્ર પીઆર અંકુશ રાખવાનું છોડી દીધું , સરકાર બજારમાં સ્પર્ધા જાળવી રાખવા માંગે છે, , ગ્રાહકોનું શોષણ ન થાય તે માટે.
૭૮) નિયમનકારી સંસ્થાઓ ભારતમાં અર્થતંત્રના ક્યાં ક્ષેત્રમાં કામ કરે છે ?
>>વીજળી , શેર બજાર , દુરસંચાર
૭૯) ભારતીય અર્થતંત્રમાં નિયમનકારી સંસ્થાઓ ક્યાં ક્ષેત્રમાં કામ કરે છે ?
>> પેટ્રો પેદાશો , વીમો , નાણાં બજાર
૮૦) TRAI ની સ્થાપના ક્યારે થઈ ?
>>૧૯૯૨
૮૧) ‘TRAI’ ગ્રાહકોના હિતમાં ક્યા ક્ષેત્રમાં કામ કરે છે ?
>>ટેલિકોમ સેવાની ગુણવત્તા , ટેલિકોમ સેવાના છૂટક અને જથ્થાબંધ દર , ટેલિકોમ સેવાઓની જોગવાઈમાં પારદર્શિતા
૮૨) TRAI ભારત સરકારને ટેલિકોમ ક્ષેત્રે શાને વિષે ભલામણ કરે છે ?
>>સ્પેક્ટ્રમ,પરવાના અને ટેલિકોમની સાર્વત્રિક પહોંચ
૮૩) TRAI ભારત સરકારને ટેલિકોમ ક્ષેત્રે શાને વિષે ભલામણ કરે છે ?;
>> મોબાઈલ નંબરની પોટેબલિટી , એફ.એમ. રેડિયો અને માધ્યમોની માલિકી
૮૪) TRAI ધારામાં ક્યારે સુધારો કરાયો હતો ?
>>૨૦૧૧
૮૫) TRAI નું પૂરું નામ જણાવો ?
>> Telecom Regulatory Authority of India
૮૬) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ?
>> ૧૯૯૨
૮૭) સેબી ની સ્થાપના ક્યાં હેતુસર કરવામાં આવી ?
>> જામીનગિરીઓમાં રોકાણ કરનારાઓના હિતોના રક્ષણ કરવું. , જામીનગિરિ બજારનો વિકાસ કરવો. , જામીનગિરિ બજારનું નિયમન કરવું. , જામીનગિરિ બજાર સાથે સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવું.
૮૮) સેબી કયું કામ કરે છે ?
>> શેર બજારના કામકાજનું નિયમન કરવું , જામીનગિરિ બજારના કામકાજનું નિયમન કરવું , શેર દલાલોની નોંધણી કરવી , પેટા શેર દલાલોની નોંધણી કરવી અને તેના કામકાજનું નિયમન કરવું , શેર ટ્રાન્સફર એજન્ટોની નોંધણી કરવી અને તેમના કામકાજનું નિયમન કરવું , પોર્ટફોલિયો મેનેજર્સના કામકાજનું નિયમન કરવું.
૮૯) સેબીના સંચાલક બોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?
>>૯
૯૦) સેબીના અધ્યક્ષ અને બોર્ડના સભ્યોની નિમણૂક કોણ કરે છે ?
>> કેન્દ્ર સરકાર
૯૧) SEBI નું પૂરું નામ જણાવો ?
>>Securities and Exchange Bord of India
૯૨) કેન્દ્રિય વીજ નિયમનકારી પંચની સ્થાપના ક્યાં કાયદા હેઠળ કરવામાં આવી ?
>>વીજ નિયમનકારી પંચ ધારો – ૧૯૯૮
૯૩) હાલ વીજ નિયમનકારી પંચ ક્યાં કાયદા હેઠળ કામ કરે છે ?
>>વીજળી ધારો – ૨૦૦૩
૯૪) કેન્દ્રિય વીજ નિયમનકારી પંચનું મિશન શું છે ?
>>જથ્થાબંધ વીજળીના બજારમાં સ્પર્ધા , કાર્યક્ષમતા અને ઓછા ખર્ચને પ્રોત્સાહન આપવું. , વીજ પુરવઠાની ગુણવત્તામાં વધારો કરવો. , વીજળી ક્ષેત્રે મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું, , ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું. , વીજળીની માંગ અને પુરવઠા વચ્ચે ખાઈ દુર કરવા સરકારને સલાહ આપવી. , સંસ્થાગત અવરોધો દૂર કરવા સરકારને સલાહ આપવી.
૯૫) ગુજરાત વીજ નિયમનકારી પંચની સ્થાપના ક્યારે થઈ ?
>> ૧૯૯૮
૯૬) રાજયોના વીજ નિયમનકારી પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્ય હોય છે ?
>> ૩
૯૭) કેન્દ્રિય વિજ નિયમનકરી પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે ?
>>૫
૯૮) ગુજરાત વીજ નિયમનકારી પંચ માં ગ્રાહકો કોને ફરિયાદ કરી શકે છે ?
>> વીજ લોકપાલ
૯૯) PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) ની સ્થાપના કરતો કાયદો ક્યારે કરવામાં આવ્યો ?
>>૨૦૧૩
૧૦૦) PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) કોને માટે પેન્શન વ્યવસ્થા ઊભી કરે છે ?
>> વૃદ્ધો
૧૦૧) વચગાળાના PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) ની સ્થાપના ક્યારે થઈ હતી ?
>>૨૦૦૩
૧૦૨) PFRDA દ્વારા રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) ક્યારે શરૂ કરવામાં આવી ?
>> ૨૦૧૪
૧૦૩) PFRDA ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે ?
>> કેન્દ્ર સરકાર
૧૦૪) PFRDA (પેન્શન ફંડ નિયમનકરી અને વિકાસ સત્તામંડળ) નું કાર્ય શું છે ?
>>રાષ્ટ્રીય પેન્શન યોજનાનું નિયમન કરવું. , રાષ્ટ્રીય પેન્શન યોજના સિવાયની પેન્શન યોજનાઓનું નિયમન કરવું. . પેન્શન યોજના સાથે સંબંધિત વ્યવસાયી સંગઠનોને પ્રોત્સાહન આપવું. , પેન્શન યોજનાના સભ્યોના હિતોનું રક્ષણ કરવું. , પેન્શન ફંડોની યોજનાઓને મંજૂરી આપવી. , પેન્શન ફંડની નોંધણી કરવી અને તેમનું નિયમન કરવું. , પેન્શન ફંડો વચ્ચેના વિવાદોનું સમાધાન કરવું. , પેન્શન ફંડ અને સભ્યો વચ્ચેના વિવાદોનું સમાધાન કરવું. , સભ્યોની ફરિયાદોના નિવારણ માટે તંત્ર સ્થાપવું.
૧૦૫) IRDA ( વીમા નિયમનકારી અને વિકાસમંડળ) ના કાર્યો જણાવો ?
>> તે વીમા કંપનીઓની નોંધણી કરે છે. , તે પોલિસી ધારકોના હિતોનું રક્ષણ કરે છે. સર્વેયર માટે આચારસંહિતા ઘડે છે. , વીમા એજન્ટોની લાયકાતો નક્કી કરે છે. વીમાના ધંધામાં કાર્યક્ષમતા લાવવી. , વીમા કંપનીઓના ધંધા અંગે તપાસ કરવી.
૧૦૬) IRDA ની સ્થાપના કરનારો કાયદો ક્યારે ઘડાયો ?
>>૧૯૯૯
૧૦૭) રિઝર્વ બેન્કની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ?
>>૧૯૩૪
૧૦૮) રિઝર્વ બેન્કનો મુખ્ય ઉદ્દેશ્ય શો છે ?
>> ભારતમાં નાણાકીય સ્થિરતા જાળવવી. , દેશની ચલણની અને ધિરાણની વ્યવસ્થા ચલાવવી. , ચલણી નોટો જારી કરવી અને તેમનું નિયમન કરવું.
૧૦૯) રિઝર્વ બેન્કના બોર્ડમાં કેટલા સભ્યો હોય છે ?
>>૧૯
૧૧૦) ક્યાં બે મુખ્ય કાયદા હેઠળ રિઝર્વ બેન્ક નાણાં બજાર ઉપર નિયંત્રણ નું કાર્ય કરે છે ?
>> RBI ધારો – ૧૯૩૪ અને બેંકિંગ નિયમન ધારો – ૧૯૪૯
૧૧૧) રિઝર્વ બેન્ક ક્યાં કાર્યો કરે છે ?
>> નાણાં નીતિ ઘડે છે અને તેનો અમલ કરે છે અને તેના પર દેખરેખ રાખે છે. , ભાવોમાં સ્થિરતા જાળવે છે. , ઉત્પાદનના ક્ષેત્રોમાં પર્યાપ્ત ધિરાણનો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરે છે. , બેંકિંગ ક્ષેત્રની કામગીરીના માપદંડો નક્કી કરે છે. વિદેશી હુંડિયામણ નિયમન ધારો (ફેમાં) નું સંચાલન કરે છે. , વિદેશ વ્યાપારનો માર્ગ સુગમ કરે છે. વિનિમય બજારનો વ્યવસ્થિત વિકાસ થાય તે જોવું. ચલણ જારી કરવું અને ઉપયોગ માટે અયોગ્ય એવા ચલણનો નાશ કરવો.
૧૧૨) સહકારી બેન્કો RBI ના નિયમન હેઠળ ક્યારે આવી ?
>>૧૯૬૬
૧૧૩) ચુકવણી ની વ્યવસ્થા ઉપર નિયમન રાખવાની સત્તા RBI ને ક્યારે મળી ?
>>૨૦૦૩
૧૧૪) ગુજરાત નાગરિક સેવા અધિકાર ધારો ક્યારે ઘડાયો ?
>>૨૦૧૩
૧૧૫) ગુજરાત નાગરિક સેવા અધિકાર ધારો શાનો હક ઊભો કરે છે ?
>>જાહેર સેવાઓ દરેક નાગરિકને નિર્ધારિત સમયમાં મળે અને નાગરિકોની ફરિયાદોનું નિવારણ નિર્ધારિત સમય મર્યાદામાં થાય.
૧૧૬) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક ક્યાં થાય છે ?
>> રાજ્ય સરકારની તમામ કચેરીઓ, મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને નોટિફાઈડ એરિયામાં
૧૧૭) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ જો ફરિયાદ નિવારણ અધિકારી ફરિયાદનો ઉકેલ ના લાવે તો કોને અપીલ કરી શકાય ?
>> ડેઝીગ્નેટેડ ઓર્થોરિટી
૧૧૮) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ જો ડેઝીગ્નેટેડ ઓર્થોરિટી ફરિયાદ નિવારણ નું કાર્ય ના કરે તો કોને અપીલ કરી શકાય છે ?
>>સ્ટેટ એપ્લેટ ઓર્થોરિટી
૧૧૯) ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ સૌ પ્રથમ કોને ફરિયાદ કરવાની છે ?
>>ફરિયાદ નિવારણ અધિકારી
૧૨૦) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ક્યો પ્રોજેકટ અમલમાં મૂક્યો છે ?
>>સ્વાગત
૧૨૧) નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ‘સ્વાગત’ પ્રોજેકટ ગુજરાત સરકારની કોની કચેરી સાથે સંબંધિત છે ?
>> મુખ્ય પ્રધાન
૧૨૨) નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેના ગુજરાત સરકારના ‘સ્વાગત’ પ્રોજેકટ ની શરૂઆત ક્યારે થઈ ?
>>૨૦૦૩
૧૨૩) ‘સ્વાગત’ પ્રોજેકટ હેઠળ ગુજરાતનાં મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?
>> દર મહિનાના ચોથા ગુરુવારે
૧૨૪) ‘સ્વાગત’ પ્રોજેકટ અંતર્ગત ગુજરાતમાં ફરિયાદોના નિવારણ ઉપર ક્યારે રાજ્ય , જિલ્લા અને તાલુકા સ્તરે ધ્યાન અપાય છે ?
>> દર મહિનાના ચોથા બુધવારે અને ગુરવારે
૧૨૫) સામાજિક અન્વેષણ સામાન્ય રીતે કોણ કરે છે ?
>>નાગરિક
૧૨૬) સામાજિક અન્વેષણ સામાન્ય રીતે શાને માટે હાથ ધરાય છે ?
>> સરકારી યોજનાઓ માટે
૧૨૭) સામાજિક અન્વેષણ ના પાયાનો ઉદ્દેશ્ય શું છે ?
>>સરકારની પરિયોજનાના અમલમાં પારદર્શિતા લાવવી , સરકારી યોજનાઓના અમલમાં ઉત્તરદાયિત્વ ઊભું કરવું , સરકારની નીતિઓ અને કાયદાનોના અમલમાં પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ ઊભા કરવા
૧૨૮) ભારતમાં સામાજિક અન્વેષણ ની શરૂઆત સૌપ્રથમ ક્યાં થઈ હતી ?
>>રાજસ્થાન
૧૨૯) સામાજિક અન્વેષણથી શો લાભ થાય છે ?
>> સમુદાયને સહભાગી સ્થાનિક આયોજનની તાલીમ મળે છે, સ્થાનિક લોકશાહીને પ્રોત્સાહન મળે છે , સમુદાયની સહભાગિતાને પ્રોત્સાહન મળે છે , તકવંચિત જૂથોને લાભ મળે છે , સામૂહિક નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે , માનવ સંસાધનો અને સમાજિક મૂડીનો વિકાસ થાય છે.
૧૩૦) સામાજિક અન્વેષણ માં નાગરિક સમક્ષ શું રજૂ થાય છે ?
>>બજેટની ફાળવણી , લાભાર્થીઓના નામ , લાભાર્થીઓને થયેલા લાભ , સરકારના હિસાબો , નાગરિકોને સરકાર દ્વારા આપવામાં આવેલા પરવાના , મુક્તિઓ , કરારો , તમામ પ્રકારના નોંધણી પત્રકો.
૧૩૧) ગુજરાતમાં જન સેવા કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ ?
>> ૨૦૦૪
૧૩૨) ભારતમાં જાહેર સેવાઓ વિષે ‘રિપોર્ટ કાર્ડ’ ની પદ્ધતિ સૌપ્રથમ કોને શોધી હતી ?
>> પબ્લિક અફેર્સ સેન્ટર – બેંગ્લોરે
૧૩૩) ભારતમાં માહિતી અધિકાર ધારો ક્યારે અમલમાં આવ્યો ?
>>૧૨-૧૦-૨૦૦૫
૧૩૪) કેન્દ્રિય માહિતી પંચની રચના કોણ કરે છે ?
>>રાષ્ટ્રપતિ
૧૩૫) માહિતીના અધિકારનો અર્થ શો છે ?
>>સરકારી કામો દસ્તાવેજો અને નોંધોનું નિરીક્ષણ , સરકારી કામો દસ્તાવેજો અને નોંધોની નોંધ , સારાંશ કે પ્રમાણિત નકલો મેળવવી , સામગ્રીના પ્રમાણમા નમૂના મેળવવાં , પ્રિન્ટ આઉટ , ડિસ્ક ફ્લૉપી , ટેપ વિડીયો કેસેટ , કે બીજી કોઈ રીતે માહિતી મેળવવી.
૧૩૬) રાજ્ય માહિતી પંચની નિમણૂક કોણ કરે છે ?
>>રાજયપાલ
૧૩૭) રાજ્ય માહિતી પંચમાં મુખ્ય માહિતી કમિશનર ઉપરન્ત કેટલા માહિતી કમિશનર હોય છે ?
>> ૧૦ થી વધુ નહિ
૧૩૮) માહિતી અધિકાર ધારા હેઠળ કોણ માહિતી આપવા માટે બંધાયેલું હોય છે ?
>>ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત
૧૩૯) માહિતી અધિકાર ધારા હેઠળ જો કોઈ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ?
>> ૪૮ ક્લાક
૧૪૦) માહિતી અધિકાર ધારા હેઠળ કઈ માહિતી માંગી શકાય ?
>> સરકારનો કોઈ વિભાગની , વિધાનસભા સચિવાલય , મહાનગપાલિકા , સરકારની ગ્રાન્ટ મેળવતી શાળા , સરકારની ગ્રાન્ટ મેળવતી કોલેજ , સરકારની ગ્રાન્ટ મેળવતી યુનિવર્સિટી
૧૪૧) જો જાહેર માહિતી અધિકારી માહિતી પૂરી ના પાડે તો ?
>>રાજ્ય માહિતી પાંચમા અપીલ કરી શકાય
૧૪૨) માહિતી અધિકાર ધારા હેઠળ નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે ?
>>કેન્દ્ર સરકાર , રાજ્ય સરકાર , કોઈપણ સક્ષમ સત્તાવાળા
૧૪૩) કેન્દ્રિય માહિતી પંચની નિમણૂક સમિતિમાં કોણ હોય છે ?
>> વડાપ્રધાન , લોકસભાના વિપક્ષી નેતા અને વડાપ્રધાન કહે તે પ્રધાન
૧૪૪) “નાગરિક સમાજ એક સ્માવેશક છત્રી જેવો ખ્યાલ છે કે જેમાં રાજ્ય બહારની અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે” આ વિધાન કોનું છે ?
>>જેફરી એલેક્સઝાન્ડર
૧૪૫) “નાગરિક સમાજ એક સંગઠિત સમાજ છે કે જેના ઉપર રાજ્ય શાસન કરે છે” આ વિધાન કોનું છે ?
>> એસ., કે. દાસ
૧૪૬) વીસમી સદીમાં નાગરિક સમાજનું સૌપ્રથમ તાત્વિક વિશ્લેષણ સૌપ્રથમ કોને કર્યું ?
>>એંટોનિયો ગ્રામસી
૧૪૭) નાગરિક સમાજમાં કોનો સમાવેશ થાય છે ?
>> બિનસરકારી સંગઠનો , સહકારી મંડળીઓ , મહિલાઓના જૂથો , મજૂર મંડળો , ખેડૂતોના મંડળો , સમુદાય આધારિત સંગઠનો , ગુજરાત ખેત કામદાર યુનિયન , મજૂર મહાજન સંઘ , SEWA
૧૪૮) ગુજરાતમાં નાગરિકોનું ખતપત્ર ક્યારે દાખલ કરાયું ?
>> ૧૯૯૮
૧૪૯) ગુજરાતમાં ૨૦૧૪ સુધીમાં કેટલા નાગરિકોના ખતપત્રો પ્રકાશિત કરાયા ?
>> ૩૦૫
૧૫૦) નાગરિકોનું ખતપત્ર ગુજરાતમાં ક્યાં સ્તરે જાહેર કરાયું છે ?
>>જિલ્લા સ્તરે
૧૫૧) નાગરિકોનું ખતપત્ર જાહેર કરવાનો ઇરાદો શું છે ?
>>જિલ્લા સ્તરે વહીવટી તંત્ર અસરકારક અને જવાબદાર બને.
૧૫૨) ભારતના બંધારણમાં રાજયપાલ માટે ક્યાં ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે ?
>> ભાગ ૬
૧૫૩) કોઈ વ્યક્તિની નિમણૂક બે થવા બે થી વધુ રાજયોના રાજયપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણીય સુધારો ક્યારે થયો ?
>>૧૯૫૬
૧૫૪) ક્યાં બંધરણીય સુધારાથી કોઈ વ્યક્તિની બે કે તેથી વધુ રાજયોના રાજયપાલ તરીકેની નિમણૂક થઈ શકે ?
>> ૭
૧૫૫) રાજયપાલ ના હોદ્દા માટે લાયકાત શું હોય છે ?
>> તેઓ ભારતના નગારીક હોવા જોઈએ , તેમની ઊમર ૩૫ વર્ષ હોવી જોઈએ
૧૫૬) રાજ્યપાલની નિમણૂક બંધારનની કઈ કલમ હેઠળ થાય છે ?
>> કલમ ૧૫૫
૧૫૭) રાજયપાલ ના હોદ્દા માટેની શરત કઈ હોય છે ?
>> તેઓ રાજ્યના ધારગૃહ ના સભ્ય ના હોય , તેઓ સંસદના સભ્ય ના હોય ,, તેઓ કોઈ લાભદારી હોદ્દો ધરાવતા ના હોવા જોઈએ.
૧૫૮) રાજયપાલ કોની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે ?
>> રાજ્યના નાણાં પંચ ના અધ્યક્ષ અને સભ્યો , મુખ્યમંત્રી , રાજ્યના એડ્વોકેટ જનરલ
૧૫૯) રાજ્યપાલનો હોદો બંધારણ હેઠળના રાજ્યના કેવા માળખાનું પ્રતિબિંબ પાડે છે ?
>> એકતંત્રી સરકાર
૧૬૦) ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ના સંબંધો વચ્ચે સેતુ તરીકે કોણ કામ કરે છે ?
>> રાજયપાલ
૧૬૧) બંધારણની કઈ કલમને આધારે કેન્દ્ર સરકાર રાજયપાલની બદલી કરી શકે છે અથવા તેમણે પદભ્રષ્ટ કરી શકે છે ?
>>કલમ ૧૫૬
૧૬૨) રાજયપાલ પાસે કેવી સત્તા છે ?
>> કારોબારી વિષયક , નાણાકીય સત્તા , ન્યાયકીય સત્તા , ધારાકીય સત્તા , વિવેકાધીન સત્તા
૧૬૩) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે હોય છે ?
>>રાજયપાલ
૧૬૪) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?
>>રાજયપાલ
૧૬૫) બંધારણની કઈ જોગવાઈ હેઠળ મુખ્યમંત્રી હોદ્દાના શપથ લે છે ?
>> અનુસૂચિ ૩
૧૬૬) બંધારણ ની કઈ કલમ હેઠળ મુખ્યમંત્રીની નિમણૂક થાય છે ?
>>કલમ ૧૬૪
૧૬૭) ક્યાં હોદ્દાનો ઉલ્લેખ ભારતના બંધારણ માં કરવામાં આવ્યો નથી ?
>> નાયબ મુખ્યમંત્રી
૧૬૮) રાજ્યના મુખ્યમંત્રી ની નિમણૂક કોણ કરે છે ?
>> રાજયપાલ
૧૬૯) રાજ્યના મંત્રીમંડળ ના વડા કોણ હોય છે ?
>>મુખ્યમંત્રી
૧૭૦) રાજ્યના મંત્રીમંડળ નું કાર્ય શું છે ?
>>સરકારની નીતિઓ ઘડવી , સરકારની નીતિઓનો અમલ કરવો , રાજ્યની વિધાનસભા અને સંસદના કાયદાઓનું પાલન કરવું , કાયદાઓના પાલન માટે નિયમો ઘડવા
૧૭૧) દ્વિતીય વહીવટી ન્સુધારા પંચે તેના ૧૫ માં અહેવાલ માં રાજયનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?
>>વિધાનસભાની સભ્ય સંખ્યાના ૧૦ ટકાથી ૧૫ ટકા
૧૭૨) જો વિધાન સભ્યોની સંખ્યા રાજયમાં ૮૦ થી ૨૦૦ ની હોય તો દ્વિતીય વહીવટી સુધારા પંચે તેને ૧૫ માં અહેવાલ માં રાજ્યના મંત્રીમંડળ ની સભ્ય સંખ્યા કેટલી રાખવાની ભલામણ કરી છે ?
>> વિધાન સભાની સભ્ય સંખ્યાના ૧૨ ટકા
૧૭૩) મંત્રીમંડળ ની જવાબદારી ભારતમાં પહેલીવાર ક્યારે સ્વીકારવામાં આવી ?
>>૧૯૫૮
૧૭૪) કોઈપણ પ્રધાન શાની જવાબદારી ઉઠાવે છે ?
>> નીતિ ઘડતર , મહત્વની બાબતો અંગે નિર્ણયો લેવા , નીતિઓના અમલ ઉપર દેખરેખ રાખવી , ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિમણૂક કરવી , વહીવટી પ્રશ્નો અંગે નિર્ણયો લેવા , લોકોની ફરિયાદોના નિવારણ માટે દરમ્યાનગીરી કરવી.
૧૭૫) ભારતમાં કેન્દ્રના મુખ્ય સચિવનો હોદ્દો ક્યારે ઊભો થયો ?
>> ૧૭૯૯
૧૭૬) ભારતમાં કેન્દ્રના મુખ્ય સચિવનો હોદ્દો કોને ઊભો કર્યો ?
>> લોર્ડ વેલેસ્લી
૧૭૭) કેન્દ્રમાં મુખ્ય સચિવ નો હોદ્દાનો અંત આવ્યો અને રાજ્યસરકારોએ એ હોદ્દાનો સ્વીકાર કર્યો એ ઘટના ક્યારે બની ?
>> આઝાદી અગાઉ ૧૯૦૦ પછી
૧૭૮) ક્યારથી ભારતના તમામ રાજયમાં સૌથી વરિષ્ઠ મુલ્કી અધિકારી મુખ્ય સચિવ બને છે ?
>>૧૯૭૩ થી
૧૭૯) કોની ભલામણ થી રાજયનના મુખ્ય સચિવનો હોદ્દો ભારત સરકારના સચિવના હોદ્દાની સમકક્ષ બન્યો છે ?
>>ભારતનું વહીવટી સુધારા પંચ
૧૮૦) રાજ્યના મુખ્ય સચિવની પસંગી કોણ કરે છે ?
>> મુખ્ય પ્રધાન
૧૮૧) વહીવટી સુધારા પંચે રાજ્યના મુખ્ય સચિવની મુદ્દત કેટલી રાખવા ભલામણ કરી હતી ?
>>૩-૪ વર્ષ
૧૮૨) રાજ્યના મુખ્ય સચિવ કોની બેઠકોનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે ?
>>વિભાગીય કમિશનરો , કલેક્ટરો , જિલ્લાના વહીવટી તંત્રના વિભાગોના વડાઓ
૧૮૩) કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારો વચ્ચે ના સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?
>>મુખ્ય સચિવ
૧૮૪) જ્યારે રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજયપાલ ના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે કરે છે ?
>>મુખ્ય સચિવ
૧૮૫) રાજ્યના મુખ્ય જાહેર સમબંધ અધિકારી કોણ છે ?
>> મુખ્ય સચિવ
૧૮૬) રાજ્યના વહીવટી તંત્રનું કેન્દ્ર ક્યાં હોય છે ?
>>સચિવાલય
૧૮૭) રાજ્યના સચિવાલયના વડા કોણ હોય છે ?
>>મુખ્ય સચિવ
૧૮૮) રાજ્યના સચિવાલયનું પાયાનું કામ શું છે ?
>>પ્રધાનને તેની ભૂમિકા પરિપૂર્ણ કરવામાં મદદ કરવી , રાજ્યસરકારના નીતિઓ અને કાર્યક્રમો ઘડવા , રાજ્ય સરકારના નીતિઓ અને કાર્યક્રમો વચ્ચે સંકલન કરવું , રાજ્યસરકારનું બજેટ તૈયાર કરવું અને જાહેર ખર્ચ ઉપર અંકુશ રાખવો , કાયદાઓ નિયમો અને નિયમનો ઘડવા , નીતિઓના અમલના લીધે ઊભા થતાં પરિણામોની સમિક્ષા કરવી , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંપર્ક જાળવવો , સરકારની કાર્યક્ષમતા વધે તે માટે પગલાં લેવા , રાજ્યની વિધાનસભામાં પૂછાતા પ્રશ્નોનાં જવાબ તૈયાર કરવામાં પ્રધાનોને મદદ કરવી , સરકારના જુદા જુદા વિભાગોના વડાઓની નિમણૂક કરવી.
૧૮૯) મુલ્કી સેવાઓ અંગેના નિયમો ઘડવાનું કામ રાજ્ય સ્તરે કોણ કરે છે ?
>> રાજયનું સચિવાલય
૧૯૦) ગુજરાત સરકારમાં કેટલા વિભાગો છે ?
>> ૨૬
૧૯૧) કલેકટરે ક્યાં મહત્વના મુદ્દે અસરકારક કામગીરી બજાવવાની હોય છે ?
>>જાહેર પ્રશ્નોનો નિશ્ચિત સમયગાળામાં ઉકેલ , જમીનોના દસ્તાવેજો આધુનિક બનાવવા અને એમનું સારી રીતે રક્ષણ કરવું , લોકોની ઉભરતી જતી જરૂરિયાતો પ્રત્યે વહીવટી તંત્રને સંવેદનશીલ બનાવવું , શાસનમાં લોકોનો વિષવાસ વધારવો અને શાસનને પહોંચક્ષમ બનાવવું , તેમના નેતૃત્વ હેઠળ અધિકારીઓ કાર્યક્ષમ રીતે કામ કરે તેવું વાતાવરણ ઉભુ કરવું , કાર્યવાહીઓ સરળ બનાવવી અને તેમનો અમલ કરવો.
૧૯૨) ગુજરાતમાં સૌપ્રથમ કલેક્ટર મેન્યુયલ ક્યારે બહાર પાડવામાં આવ્યું ?
>> ૨૦૦૮
૧૯૩) કલેક્ટર સીધી રીતે ગુજરાત સરકારના ક્યાં વિભાગ હેઠળ કામ કરે છે ?
>>મહેસૂલ
૧૯૪) કલેક્ટર નીચે ક્યાં અધિકારીઓ કામ કરે છે ?
>> જિલ્લા પુરવઠા અધિકારી , નિવાસી અધિક કલેક્ટર , પ્રાંત ઓફિસર , નાયબ કલેક્ટર (મધ્યાહન ભોજન યોજના) , નાયબ કલેક્ટર (જમીન સંપાદન) , નાયબ કલેક્ટર
૧૯૫) જીલ્લામાં રાજ્યસરકારના વહીવટી તંત્રના વડા કોણ હોય છે ?
>> કલેક્ટર
૧૯૬) કલેક્ટર ક્યૂ કાર્ય કરે છે ?
>>જમીન મહેસૂલ ઉઘરાવવું , જમીનોના દસ્તાવેજ જાળવવા , તગાવી લોનની વહેંચણી કરવી અને વસૂલાત કરવી , સ્ટેમ્પ ધારાનો અમલ કરવો , સરકારની મિલકતોનું સંચાલન કરવું , જમીન સુધારનો અમલ કરવો , કુદરતી આપત્તિ સમયે નુકસાનની આકારણી કરવી , મુખ્ય જમીન સંપાદન અધિકારી તરીકે કામ કરવું , ગ્રામીણ સ્તરના આંકડા એકત્ર કરવા.
૧૯૭) જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે ?
>> જે તે જિલ્લાના ઇન. ચાર્જ મંત્રી
૧૯૮) જિલ્લા કલેક્ટર ખરેખર શું છે ?
>>જમીન સંચાલક અને જમીન મહેસૂલ ના વહીવટદાર , કાયદો અને વ્યવસ્થા જાળવનાર , મહેસૂલી રેકર્ડના કસ્ટોડિયન , તમામ પ્રસંગોના આયોજક
૧૯૯) કલેક્ટર રાજ્યના સીધા ક્યા પ્રધાનના હાથ નીચે કામ કરે છે ?
>> મહેસૂલ પ્રધાન
૨૦૦) કલેકટરના મહેસૂલી કાર્યની માસિક સમિક્ષા કોણ કરે છે ?
>> રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર
૨૦૧) હાલના લોકશાહી માળખામાં ખરેખર કલકેકટર શું છે ?
>> સમતા આધારિત ન્યાય કરનાર , કટોકટીની સ્થિતીમાં પ્રબંધક , મહેસૂલી રેકર્ડના કસ્ટોડિયન
૨૦૨) કલેકટરની નિમણૂક રાજ્યસરકાર શાના હેઠળ કરે છે ?
>>જમીન મહેસૂલ ધારો – ૧૮૭૯
૨૦૩) ગુજરાતમાં ૨૦૧૨ માં કલેકટર કેટલી જિલ્લા કક્ષાની સમિતિઓના અધ્યક્ષ હતા ?
>>૮૧
૨૦૪) લોકસભાની ચૂંટણી સમયે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે ?
>> કલેક્ટર
૨૦૫) અંગ્રેજ શાસનમાં ક્યારે જિલ્લો ક્ષેત્રિય વહીવટનું એકમ બન્યો ?
>> ૧૭૮૧
૨૦૬) સરપંચની ચૂંટણી અંગે ૭૩ માં બંધારણીય સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ?
>>રાજ્યની વિધાનસભા કડો કરીને નક્કી કરે તે રીતે સરપંચ ચૂંટાશે
૨૦૭) ૭૩ માં બંધારણીય સુધારામાં અનામત બેઠકો અંગે શું જોગવાઈ કરાઇ છે ?
>> દરેક પંચાયતમાં અનુસુચિત જાતિઓ માટે બેઠકો અનામત રહેશે , દરેક પંચાયતમાં અનુસુચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રહેશે , દરેક પંચાયતમાં અનામત બેઠકો ફરતી રહેશે.
૨૦૮) બંધારણ માં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કાર્યો સોંપવામાં આવ્યા છે ?
>>અનુસૂચિ ૧૧
૨૦૯) ૭૩ માં બંધારણીય સુધારનો અમલ કઈ તારીખથી થયો ?
>> ૧-૬-૧૯૯૩
૨૧૦) ક્યા રાજયમાં તાલુકા પંચાયતની રચના મરજિયાત છે ?
>>જેની વસ્તી ૨૦ લાખથી ઓછી હોય
૨૧૧) ૭૩ માં બંધારણીય સુધારાનું મહત્વ શું છે ?
>> મહિલાઓ માટે અનામત બેઠકો , ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન , ગ્રામ સભાને શાસનનું એકમ બનાવાઇ
૨૧૨) ૭૩ માં બંધારણીય સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?
>>મહિલાઓ
૨૧૩) ૭૩ મો બંધારણીય સુધારો કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ પાડવા જાહેરનામું કોણ બહાર પાડી શકે ?
>> રાષ્ટ્રપતિ
૨૧૪) ૭૩ માં બંધારણીય સુધારા હેઠળ ભાગ ૯ માં કઈ કલમો છે ?
>>૨૪૩ થી ૨૪૩ ઑ
૨૧૫) પંચાયતોની ચૂંટણી કોની નિગેહબાની હેઠળ યોજાય છે ?
>>રાજ્ય ચૂંટણી પંચ
૨૧૬) પંચાયતે કરવાના કામો માટે બંધારણમાં કઈ કલમ હેઠળ જોગવાઈ કરાઇ છે ?
>>કલમ ૨૪૩ જી
૨૧૭) બંધારણની અનુસૂચિ ૧૧ નો અર્થ શું થાય છે ?
>>યાદીમાં દર્શાવાયેલા કામો રાજ્ય સરકારે નથી કરવાના , પણ પંચાયતો એ કરવાના છે.
૨૧૮) ગામડાના વહીવટનો વિષય બંધારણ હેઠળ કોને સોંપવામાં આવેલો છે ?
>> રાજ્યો
૨૧૯) ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો કોણે નાંખ્યો છે ?
>>લોર્ડ રિપન
૨૨૦) ૧૯૦૭ માં રોયલ કમિશને શાની ભલામણ કરી હતી ?
>> ગ્રામ પંચાયતોના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવું
૨૨૧) ભારતમાં ત્રિ – સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?
>> બળવંતરાય મહેતા સમિતિ
૨૨૨) ગ્રામ્ય વિસ્તારોમાં દ્વિસ્તરીય પંચાયતોની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?
>>અશોક મહેતા સમિતિ
૨૨૩) પંચાયતી રાજની સંસ્થાઓ માટે મતદાર યાદી ક્યારે તૈયાર કરવાની હોય છે ?
>>પંચાયતની મુદત પૂરી થતી હોય તેના બે મહિના અગાઉ
૨૨૪) પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે ક્યો કાયદો લાગુ પડે છે ?
>> લોક પ્રતિનિધિત્વ ધારો
૨૨૫) પંચાયતી રાજને મજબૂત કરવા માટે કોના સ્મયગાળા દરમિયાન ૬૪ મો બંધારણીય સુધારો રજૂ થયો હતો ?
>>રાજીવ ગાંધી
૨૨૬) પંચાયતો માટેનો ૬૪ મો બંધારણીય સુધારો લોકસભામાં ક્યારે દાખલ થયો હતો ?
>> ૧૯૮૯
૨૨૭) પંચાયતો માટેનો ૭૩ મો બંધારણીય સુધારો સંસદમાં કોની સરકાર દરમિયાન કરાયો હતો ?
>> વી.પી.સિંહ
૨૨૮) ૧૯૮૬ માં કોના અધ્યક્ષપદે પંચાયતી રાજ અંગેની સમિતિની રચના કરાઇ હતી ?
>> એલ.એમ.સિંઘવી
૨૨૯) કઈ સમિતિની ભલામણને આધારે ૭૩ મો બંધારણીય સુધારો કરીને પંચાયતોને બંધારણમાં સ્થાન અપાયું ?
>>પી.કે.થુગન સમિતિ
૨૩૦) બંધારણની અનુસૂચિ ૧૧ હેઠળના કેટલા કામો પંચાયતોને સોંપાયા હોવાનું ગુજરાત સરકારે કેન્દ્રોને જણાવેલું છે ?
>> ૧૫
૨૩૧) ગુજરાત પંચાયત ધારામાં કેટલી કલમો છે ?
>>૨૭૯
૨૩૨) પંચાયતી રાજનું ઉદ્ઘાટન ક્યાં રાજયમાં થયું હતું ?
>>રાજસ્થાન
૨૩૩) ગુજરાતનાં વિસ્તારોમાં પંચાયતી રાજ કાનૂની રીતે ક્યાં કાયદાથી દાખલ થયું ?
>>,મુંબઈ ગ્રામ પંચાયત ધારો – ૧૯૩૩
૨૩૪) ગુજરાત પંચાયત ધારા ૧૯૬૧ નો અમલ ક્યા જીલ્લામાં મોડો થયો હતો ?
>>કચ્છ અને ડાંગ
૨૩૫) કચ્છ જીલ્લામાં ગુજરાત પંચાયત ધારા ૧૯૬૧ નો અમલ ક્યારથી થયો હતો ?
>>૧૫-૪-૧૯૬૩
૨૩૬) ભારતમાં પ્રાચીનકાળમાં ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ હતું એવો ઉલ્લેખ ક્યા વેદોમાંથી મળે છે ?
>> ઋગ્વેદ અને અથર્વવેદ
૨૩૭) ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ?
>>૧૧૨
૨૩૮) ગ્રામ પંચાયતે દરેક નાણાકીય વર્ષ માટે ક્યારે અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે ?
>>૧૫ ડિસેમ્બર સુધી
૨૩૯) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કેવુ હોવું જરૂરી છે ?
>>આવકની દસ ટકા રકમ સિલક રહે તેવું
૨૪૦) ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ ચકાસે છે ?
>>તાલુકા પંચાયત
૨૪૧) ગ્રામ પંચાયતે મોડમાં મોડુ ક્યા સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરવાનું હોય છે ?
>>૩૧ મી માર્ચ
૨૪૨) જો ૩૧ મી માર્ચ સુધી ગ્રામ પંચાયત અંદાજપત્ર રજૂ ના કરે તો શું થાય ?
>> સરપંચ બરતરફ થાય અને ગ્રામ પંચાયત બરતરફ થાય
૨૪૩) ગ્રામ પંચાયત દોષિત ઠરે તો કોણ બરખાસ્ત કરી શકે છે ?
>> રાજ્ય સરકાર
૨૪૪) ગ્રામ પંચાયતનું બજેટ કોણ ચકાસે છે ?
>>તાલુકા વિકાસ અધિકારી
૨૪૫) ગ્રામ પંચાયતના કામોમાં ક્યા ક્ષેત્રોનો સમાવેશ થાય છે ?
>>સ્વસ્થ્ય અને સફાઈ , જાહેર બાંધકામ , શિક્ષણ
૨૪૬) ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામકાજ થાય છે ?
>> ઉપસરપંચ ની ચૂંટણી
૨૪૭) સરપંચ અને ઉપસરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકનું અધ્યક્ષસ્થાન કોણ સંભાળે છે ?
>>પંચાયતના કોઈ સભ્ય
૨૪૮) સરપંચના કાર્ય શું છે ?
>>પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવું , પંચાયતના ફંડ નો વહીવટ ચલાવવો , પંચાયતના અધિકારીઓએ ઉપર નિયંત્રણ રાખવું.
૨૪૯) ગ્રામ પંચાયતની મિટિંગ ની નોંધ કરવાની જવાબદારી કોની હોય છે ?
>>તલાટિ કમ મંત્રી
૨૫૦) દરેક પંચાયતની મુદ્દત કેટલી હોય છે ?
>>પ્રથમ બેઠક મળે ત્યારથી ૫ વર્ષ

Leave a Comment