Vidhya Sahayak Bharti 2022: ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ૨૬૦૦ વિધાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે તેની માહિતી સરકાર દ્વારા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં ધોરણ ૧ થી ૫ માં ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮ માં ૧૬૦૦ એમ કુલ મળીને ૨૬૦૦ વિધાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે. આ માહિતી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવેલ છે.
૧૧ ઓકટોબર ૨૦૨૨ ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ ૧ થી ૫ માં ૧૦૦૦, ગણિત વિજ્ઞાન વિષય માટે ૭૫૦, અન્ય ભાષાના વિષયો માટે ૨૫૦ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે ૬૦૦ વિધાસહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા ૫% વધારાના ગુણ આપવાના નિયમનો અમલ કરવામાં આવનાર છે.
રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની ભરતી સમયે વિધવા મહિલા ઉમેદવારોને ૫ ટકા ગુણનો લાભ આપવાનું ગુજરાત સરકારના ઠરાવ મુજબ ઠરાવવામાં આવે છે. આ માટે રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની ભરતીમાં વિધવા મહિલા ઉમેદવારોને શિક્ષક યોગ્યતા કસોટી – tet પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦ ટકા ગુણ તથા તેની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ગુણના ૫૦ ટકા ગુણ આધારે તૈયાર થનાર આખરી મેરીટમાં વિધવા મહિલા ઉમેદવારને તેઓએ મેળવેલ ગુણના ૫ ટકા ગુણ આપવાના રહેશે.
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ ખાલી જગ્યાઓની માહિતી:
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૨ અંગેની સૂચનાઓ:
આ લાભ માત્ર એવી વિધવા મહિલા ઉમેદવારોને મળવાપાત્ર થશે કે જેમણે ભરતી તથા નિમણૂક સમયે પુનઃલગ્ન ના કર્યા હોય.
2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE
— Jitu Vaghani (@jitu_vaghani) October 10, 2022